રાગ દ્વારા રસની નિષ્પત્તિ

Authors

  • અદિતી એસ. પટવર્ધન Lakulish Yoga University Author https://orcid.org/0009-0008-1164-9231
  • ડો. પ્રભુતા એન. પટેલ Lakulish Yoga University Author

DOI:

https://doi.org/10.69919/mqt02r71

Keywords:

રસ, સંગીત, ભાવ, કલા, મન, રાગ, આનંદ, આત્માનંદ

Abstract

લલિત કલાઓ સંગીત, નૃત્ય, ચિત્રકલા, નાટક, સાહિત્ય વગેરેનો મુખ્ય હેતુ મનનું રંજન કરવાનો છે. કળાઓની અભિવ્યક્તિ રસ જન્માવે છે. શ્રોતાજનો જ્યારે આવી કળાની કૃતિનો આસ્વાદ માણે છે ત્યારે તેના મનમાં ઉત્પન્ન થતા ભાવો એટલે રસ. સંગીત માં ગાયક કે વાદક દ્વારા જ્યારે રાગોના માધ્યમથી નાદનું સર્જન કરવામાં આવે છે ત્યારે પ્રત્યેક રાગ નવરસ પૈકી જુદા જુદા રસની નિષ્પત્તિ કરે છે. તદનુસાર શ્રોતાઓ શ્રૃંગાર, હાસ્ય, વીર, અદ્ભુતબીભત્સ, ભયાનક, રૌદ્રકરુણશાંત રસની પ્રતીતિ કરે છે. રાગના માધ્યમ દ્વારા મનને આનંદમય અવસ્થા પ્રાપ્ત થાય છે અને અવસ્થા રસના માધ્યમથી થતી હોઇ તેને રસાવસ્થા કહેવાય છે. રાગમાંથી ભાવનું પ્રગટીકરણ થાય ત્યારે ભાવસૌંદર્ય અને સ્વર માધ્યમનું સૌંદર્ય બન્ને ના સમન્વયથી રસ નિષ્પત્તિ થઇ શકે છે. આનંદ ની અનુભુતિ હોય છે. આનંદ ની પ્રતીતિ થવી રસ નિર્મિતિ નો હેતુ છે. માધ્યમ દ્વારા અભિવ્યક્તિ ની કાર્યશીલતા માત્ર માધ્યમ નો પ્રવાસ હોઇ તેમાંના ભાવનો પ્રવાસ હોય છે. પ્રવાસ સૌંદર્ય પૂર્ણ રીતે વ્યક્ત થવો આવશ્યક છે, અને રસની પહેલી શરત છે. એટલે સંગીત નું માધ્યમ રસની નિષ્પત્તિ માટેનું ઉત્કૃષ્ટ માધ્યમ ગણાય છે. ખરું કે અભિનય કળામાં દ્રશ્ય શ્રાવ્યનો સુભગ સમનવ્ય હોવાથી શ્રોતાઓ રસની ગહન અનુભુતિ કરી શકે છે. પરંતુ શાસ્ત્રિય સંગીતના નાદ સાથેના અનુસંધાન ને લીધે શ્રોતાઓને અત્યંત સૂક્ષ્મ તલ પર ભાવની ગહન અનુભુતિ થાય છે. જે આત્માનંદ ની અત્યંત નિકટ છે. શાસ્ત્રિય સંગીતનું વૈશિષ્ટય છે , તેની મહત્તા છે.

Downloads

Download data is not yet available.

References

સ્વરાર્થમણિ – ગાનસરસ્વતિ કિશોરી આમોણકર

'અભિનવ રાગમંજરી - પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે

'હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ' - પંડિત ભાતખંડે

“ સંગીત રત્નાકર”- શારંગદેવ

https://www.aksharnaad.com/2021/07/16/navras-archita-pandya/

https://opinionmagazine.co.uk/null-390/

https://mycoaching.in/shant-ras

Downloads

Published

03-09-2024

Issue

Section

Articles

How to Cite

પટવર્ધન અ., & પટેલ પ. (2024). રાગ દ્વારા રસની નિષ્પત્તિ. Divyayatan - A Journal of Lakulish Yoga University, 1(3), 33-40. https://doi.org/10.69919/mqt02r71