બંગાળના પરિવ્રાજક બાઉલ
DOI:
https://doi.org/10.69919/t7yb0m03Abstract
બાઉલ પ્રસિદ્ધિથી દૂર રહેનાર સંત પરંપરા છે. બંગાળના પરિવ્રાજક તરીકે બાઉલ ઓળખાય છે. ‘બાઉલ’ નો અર્થ પ્રેમ ! થાય છે. પ્રેમ વિના કશું નહીં, બાઉલોએ સિધ્યો અને નાથોની યોગસાધના સુધી લઈ ગયા. કારણ કે ભારતીય સાધના પરંપરામાં છેક પ્રાચીન સમયથી જ ચાલી આવી છે. બંગાળના બાઉલનો અધ્યાત્મ વિચાર પ્રત્યક્ષ જીવન વ્યવહરમાં પણ સહાજતાનો આધાર સાથે ‘સાધના ધારાય’ કે આત્મા અને અંતઃકરણ બંનેને એક જ સપાટીએ મૂકી શકતા સાધકો સાધના અને સૂક્ષ્મ સમજ દ્વારા જ પામી શકે. પરમતત્ત્વના કોઈ સ્થૂળ સંકેત વિના બોલચાલની સરળ ભાષામાં સહજ રીતે કથવાની કળા આત્મસાત છે. બાઉલના ગીતોમાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો અને સમર્પણનો ભર્યો- ભર્યો સમન્વય જોવા મળે છે. બાઉલની પરંપરા બહુ પહેલાંની પરંપરા માનવામાં આવે છે. સતીશચંદ્ર વ્યાસ આ પરંપરા વિશે કહે છે. કે “પોથી પર આધારિત નહીં તેવી પરંપરાના બાઉલ પોતાની પરંપરા અનાદિ. સૂર્ય, ચંદ્ર પણ નહોતા. તે પહેલાની માને છે.”એટલા માંતે શ્રી સતીશચંદ્રે “મનેખના માંધલા” ના જાણતલ તરીકે વર્ણવ્યાં છે. જ્યાર’ બાઉલ’ નું નામ આવશે કે બોલશે ત્યારે સતીશચંદ્ર વ્યાસને યાદ કરવા પડશે. બાઉલની વાતો એક સાંસ્કૃતિક ઇતિહાસ સાથે જોડાયેલી છે. બાઉલ પોતાના ગીતોને પોતાની સાથે આત્મસાત કરે છે.તે પોતાના ગીતોને શ્રેષ્ઠટીવી સાબિત કરવામાં ક્યારેય પડતાં નથી. તેઓ ફક્ત પોતાના ગીતોને નૃત્ય દ્વારા જ વુકટ કરે છે. એટલા માટે તારક વડે સમજવા કઠિન છે. એવા બાઉલ જેમને સંતોની ઉપમા આપવી ઘટે. સંત કોણ? જેના જીવનનો તાર પરમાત્મા સાથે જોડાઈ ગયો હોય તે સંત. સંત એટલે અધ્યાય પુરુષ. આવા અશયાએ પુરુષનું દર્શન બાઉલોમાં જોવા મળે છે.
Downloads
References
વ્યાસ.એસ/ (૨૦૨૦) બંગાળના પરિવ્રાજક : બાઉલની વાતો : (પ્રથમ આવૃત્તિ) એન. એમ ઠક્કરની કંપની.
પૂ. મોરારીબાપુણી રામકથા, નવેમ્બર, ૨૦૧૯, ઉત્તરકાશી
જયભિખ્ખુ (આપણા સંતો, ભક્ત સૂરદાસ : (પ્રથમ આવૃત્તિ) ગુર્જર ગ્રંથરત્ન
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2025 Dr. Hina Mori (Author)

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.